સત્સંગ
spacer
spacer

 આ શ્રી સર્વોત્તમ  સ્ત્રોત AUDIO CD બનાવવાની કૃપા શ્રી વલ્લભે પ્રેરણા કરતાં થઈ હતી. આ કલિયુગમાં જીવ સેવા શું કરી શકશે ? ગુણગાન કરવાનો સમયના અભાવમાં શ્રીમહાપ્રભુજીએ દર્શન કરાવેલ શ્રી સર્વોત્તમ સ્ત્રોતના એકસોઆઠ નામ શ્રી ગુંસાઈજીએ ઝાપીજીમાં સ્વરૂપ પધરાવી એ તેવીરીતે માહાત્મયના છ શ્લોક અને ફલશ્રુતિના બે શ્લોકની મધ્યના ભાગમાં શ્રી વલ્લભના જ લીલાત્મક, ફલાત્મક, તાપાત્મક, વિરહાત્મક અને સાક્ષાત સ્વરૂપાત્મક નામોનું દાન કરી મહોર મારી દીધી કે આ સ્તોત્રનો વિનીયોગ ભક્તિનો યોગ જે દૈવી જીવોને છે તેના સર્વે દ્રષ્ટ અદ્રષ્ટ પ્રકારના પ્રતિબંધોની નિવૃત્તિ કરાવી શ્રી કૃષ્ણનું અધરામૃત/ચરણામૃત બંને એકીસાથે પાઠ કરનારને પ્રાપ્ત થશે અને અલૌકિક દેહ પ્રાપ્ત કરવાનું પ્રયોજન પ્રભુની કૃપાથી પૂર્ણ થશે. હવે વાત આવી ઉચ્ચારની પુસ્તક લઈને જોઈને પાઠ કરવાની/સમય લઈ એક સાથે કરવાની અને સંસ્કૃતના અક્ષરજ્ઞાનની. પાઠ તો કરવા છે પણ વાંચવાનું કેવી રીતે ? ઉચ્ચાર શું કરવો ? યાદ આટલા બધા શ્લોકો રાખવા કઈ રીતે ? સમય કાઢવો ક્યારે ? આ બધાનું સોલ્યુશન આ સીડીમાં એકી સાથે મળતાં નિરક્ષર જીવ પણ સાથે સાથે કરે તો બે ચાર મહિનામાં પ્રભુની કૃપા પામી શકે અને સ્પષ્ટ ઉચ્ચારથી રાતદિવસ કંઠસ્થ થવાથી કરી શકે અને પ્રભુના શ્રમની નિવૃત્તી કરી શકાય. આ હેતુથી વિશ્વના ખૂણે ખૂણે પહોંચવાનો અલ્પ પ્રયાસ કર્યો છે તો તેનો ખૂબ વૈષ્ણવો લાભ લે તે જ અભિલાષા. દા.દા. નંદકુમારગાંધીના સ્નેહસ્મરણ.

કરીએ શ્રી સર્વોત્તમ રસપાન
શ્રી નંદકુમાર ગાંધી

 

પુષ્ટિમાર્ગમાં શ્રી સર્વોત્ત્તમ્ સ્ત્રોત્રનુ મહત્વ ખુબજ છે. જે સ્ત્રોત્રમાં શ્રીમહાપ્રભુજીની જુદી જુદી લીલાના દર્શન તેમના બન્ને લાલજી ને કરાવી આજ્ઞા કરી હતી કે આ ૧૦૮ સ્વરુપોના દર્શન,પઠન,ચિંતન જે કોઈ કરશે તેને સત્વરે લીલાપ્રાપ્તિ કરવા માટે આધિદૈવીક દેહ પ્રાપ્ત કરવા જરુરી અધરામૃત તથા ચરણામૃત પ્રાપ્ત કરાવવાનુ વચન પણ શ્રી ગુંસાઈજી એ આપેલ છે. આ લીલા દશૅન અગર જો સર્વોત્તમ સ્ત્રોત ના ગુણગાન કરનાર ને તે સમયે થાય તો ફલિત થવામાં વિલંબ ન થાય તે કારણથી VIDEO CD પ્રગટ કરી શ્રી સર્વોત્ત્તમ્ ના ગુણગાન સાથે લીલાના 108 સ્વરુપ નાં દશૅન આપને થાય એવો પ્રયાસ કરેલ છે. જેનાથી સત્સંગ મંડળ, પાઠશાળા, તથા સર્વોત્ત્તમ્જી માં ખૂબજ આસકિત ઘરાવનાર ભગવદીયોને ખૂબ લાભ મળશેજ. આશા રાખુ છુ કે આ સીડી તમારી પાસે આવવાથી, એક બીજા ને  પચાર કરી ખૂબજ લાભ લે અને અન્ય ભગવદીયોને લેવરાવે. એ જ નંદકુમારભાઇ ના ભગવદ્સ્મરણ.

શ્રી સર્વોત્ત્તમ્ લીલામૃત રસપાન્
શ્રી નંદકુમાર ગાંધી

 

શ્રી વલ્લભને શરણે આવ્યા પછી પુષ્ટિમાર્ગનું પરમ ફલ પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શનના અભાવે જીવ આગળ વધી શકતો નથી આ માર્ગદર્શન ક્યાં લેવા જવું તેની પણ માહિતી ઉપલબ્ધ નથી થતી ત્યારે જીવ પોતાનો કિંમતી સમય ગુમાવી રહ્યાનો અહેસાસ કરે છે આવા સંજોગોમાં પુષ્ટિમાર્ગના  પ્રારંભીક પાયાની જરૂરીયાતની જાણકારી આપતી આ AUDIO CD ખૂબજ ઉપયોગી થઇ રહી છે. વિશ્વને ખૂણે ખૂણે આ સીડી નો ઉપયોગ કરી ખૂબજ આગળ વધી રહ્યા છે.

પુષ્ટિમાર્ગ જાણો અને માણો
શ્રી નંદકુમારભાઇ ગાંધી

 

પુષ્ટિમાર્ગમાં રોજીંદા સત્સંગ પ્રણાલીમાં 84-252વૈષ્ણવની વાર્તા, શિક્ષાપત્ર, શ્રી સુબોધીનીજી વિગેરે વંચાતા હોય છે.સમયના અભાવે એક એક વાર્તા, એક એક શ્લોક દરેક વિષયમાં થતો હોય છે.જેને કારણે એક વિષય પુરો થતાં સાત આઠ માસનો સમય પણ થતો હોય છે.આના કારણે પાછળનું અનુસંધાન રહી શકતું નથી. તેથી શ્રી હરિરાયજીના શિક્ષાપત્રોમાં પુષ્ટિજીવોને પ્રભુ પ્રાપ્ત કરવા શું કરવું જોઇએ તેની શીખ આપી છે.જો આ એકી સાથે જાણી શકાય તો પુરેપુરૂ અનુસંધાન રહી શકે.તેથી શિક્ષાપત્રોનો સાંરાશ એકી સાથે એક બેઠકે સાંભળી મનન ચિંતન કરી શકાય તે હેતુથી શ્રી હરિરાયજીના શિક્ષાપત્રોનો શિક્ષા સાર નામની AUDIO CD છેલ્લા ત્રણ ચાર વર્ષથી પુરા વિશ્વમાં ઉપલબ્ધ થઇ રહી છે.વૈષ્ણવ ભાઈઓ Web Site નો લાભ લે અને પરમ આનંદની પ્રાપ્તિ કરે તે જ અભિલાષા.

શ્રી હરિરાય મહાપ્રભુજીના શિક્ષાપત્રોનો સાર
શ્રી નંદકુમારભાઇ ગાંધી

 

          આ સીડી ભક્તના હૃદયમાં તાપકલેશાનંદ વધારવાની ઔષધિ સમાન છે. કેમ કે પ્રભુના વિયોગમાં ગોપીજનોની વ્રજમાં જે સ્થિતિ હતી તે હળવી કરાવવાના હેતુથી ઉદ્ધવજી શ્રી ઠાકોરજીની આજ્ઞાથી વ્રજમાં પધાર્યા છે. ત્યારે ગોપીજનો – ઉધ્ધવજીનો સંવાદ તે પ્રેમની સર્વોત્કૃષ્ટ અવસ્થાના દર્શન કરાવે છે અને હૃદય દ્રવિભૂત થતાં આર્દ્ર બને છે. વિરહની ઉત્કંઠતા વધતી જતાં જીવ પ્રભુ વગર ન રહી શકે તેવી સ્થિતી બને ત્યારે જ નિરોધ લક્ષણ ગ્રંથના સાતમા શ્લોક મુજબની સાક્ષાતકારની પ્રક્રિયા થતાં દૈવીજીવ પ્રભુની નિત્યલીલાને પ્રાપ્ત કરે છે. તેથી આ ગીતશ્રીસુબોધીનીજીના આધાર પર પ.ભ. શ્રી શતીશ શર્માજી જેઓએ પી.એચ.ડી. કરેલ છે અને તેમની વાણી ખૂબજ મધુર – દર્દીલી હોવાથી વૈષ્ણવોને વિશ્વના ખૂણે ખૂણે લાભ મળે તે હેતુથી અહીં રજુ કરવામાં અમે ખૂબજ આનંદની લાગણી અનુભવીએ છીએ. એ જ દા.દા. નંદકુમારભાઇ ના ભગવદ્સ્મરણ.

ભ્રમર ગીત ભાગ-૧ (શ્રી સુબોધીનીજી આધારે)
વક્તાશ્રી શતીષજી શર્મા (ગ્વાલિયર)

 

           આ સીડી ભક્તના હૃદયમાં તાપકલેશાનંદ વધારવાની ઔષધિ સમાન છે. કેમ કે પ્રભુના વિયોગમાં ગોપીજનોની વ્રજમાં જે સ્થિતિ હતી તે હળવી કરાવવાના હેતુથી ઉદ્ધવજી શ્રી ઠાકોરજીની આજ્ઞાથી વ્રજમાં પધાર્યા છે.ત્યારે ગોપીજનો – ઉધ્ધવજીનો સંવાદ તે પ્રેમની સર્વોત્કૃષ્ટ અવસ્થાના દર્શન કરાવે છે અને હૃદય દ્રવિભૂત થતાં આર્દ્ર બને છે. વિરહની ઉત્કંઠતા વધતી જતાં જીવ પ્રભુ વગર ન રહી શકે તેવી સ્થિતી બને ત્યારે જ નિરોધ લક્ષણ ગ્રંથના સાતમા શ્લોક મુજબની સાક્ષાતકારની પ્રક્રિયા થતાં દૈવીજીવ પ્રભુની નિત્યલીલાને પ્રાપ્ત કરે છે.તેથી આ ગીતશ્રીસુબોધીનીજીના આધાર પર પ.ભ. શ્રી શતીશ શર્માજી જેઓએ પી.એચ.ડી. કરેલ છે અને તેમની વાણી ખૂબજ મધુર – દર્દીલી હોવાથી વૈષ્ણવોને વિશ્વના ખૂણે ખૂણે લાભ મળે તે હેતુથી અહીં રજુ કરવામાં અમે ખૂબજ આનંદની લાગણી અનુભવીએ છીએ. એ જ દા.દા. નંદકુમારભાઇ ના ભગવદ્સ્મરણ.

ભ્રમર ગીત ભાગ-૨ (શ્રી સુબોધીનીજી આધારે)
વક્તાશ્રી શતીષજી શર્મા (ગ્વાલિયર)

 

          આ સીડી ભક્તના હૃદયમાં તાપકલેશાનંદ વધારવાની ઔષધિ સમાન છે. કેમ કે પ્રભુના વિયોગમાં ગોપીજનોની વ્રજમાં જે સ્થિતિ હતી તે હળવી કરાવવાના હેતુથી ઉદ્ધવજી શ્રી ઠાકોરજીની આજ્ઞાથી વ્રજમાં પધાર્યા છે.ત્યારે ગોપીજનો – ઉધ્ધવજીનો સંવાદ તે પ્રેમની સર્વોત્કૃષ્ટ અવસ્થાના દર્શન કરાવે છે અને હૃદય દ્રવિભૂત થતાં આર્દ્ર બને છે. વિરહની ઉત્કંઠતા વધતી જતાં જીવ પ્રભુ વગર ન રહી શકે તેવી સ્થિતી બને ત્યારે જ નિરોધ લક્ષણ ગ્રંથના સાતમા શ્લોક મુજબની સાક્ષાતકારની પ્રક્રિયા થતાં દૈવીજીવ પ્રભુની નિત્યલીલાને પ્રાપ્ત કરે છે.તેથી આ ગીતશ્રીસુબોધીનીજીના આધાર પર પ.ભ. શ્રી શતીશ શર્માજી જેઓએ પી.એચ.ડી. કરેલ છે અને તેમની વાણી ખૂબજ મધુર – દર્દીલી હોવાથી વૈષ્ણવોને વિશ્વના ખૂણે ખૂણે લાભ મળે તે હેતુથી અહીં રજુ કરવામાં અમે ખૂબજ આનંદની લાગણી અનુભવીએ છીએ. એ જ દા.દા. નંદકુમારભાઇ ના ભગવદ્સ્મરણ.

ભ્રમર ગીત ભાગ-૩ (શ્રી સુબોધીનીજી આધારે)
વક્તાશ્રી શતીષજી શર્મા (ગ્વાલિયર)

 

           આ સીડી ભક્તના હૃદયમાં તાપકલેશાનંદ વધારવાની ઔષધિ સમાન છે. કેમ કે પ્રભુના વિયોગમાં ગોપીજનોની વ્રજમાં જે સ્થિતિ હતી તે હળવી કરાવવાના હેતુથી ઉદ્ધવજી શ્રી ઠાકોરજીની આજ્ઞાથી વ્રજમાં પધાર્યા છે. ત્યારે ગોપીજનો – ઉધ્ધવજીનો સંવાદ તે પ્રેમની સર્વોત્કૃષ્ટ અવસ્થાના દર્શન કરાવે છે અને હૃદય દ્રવિભૂત થતાં આર્દ્ર બને છે. વિરહની ઉત્કંઠતા વધતી જતાં જીવ પ્રભુ વગર ન રહી શકે તેવી સ્થિતી બને ત્યારે જ નિરોધ લક્ષણ ગ્રંથના સાતમા શ્લોક મુજબની સાક્ષાતકારની પ્રક્રિયા થતાં દૈવીજીવ પ્રભુની નિત્યલીલાને પ્રાપ્ત કરે છે. તેથી આ ગીતશ્રીસુબોધીનીજીના આધાર પર પ.ભ. શ્રી શતીશ શર્માજી જેઓએ પી.એચ.ડી. કરેલ છે અને તેમની વાણી ખૂબજ મધુર – દર્દીલી હોવાથી વૈષ્ણવોને વિશ્વના ખૂણે ખૂણે લાભ મળે તે હેતુથી અહીં રજુ કરવામાં અમે ખૂબજ આનંદની લાગણી અનુભવીએ છીએ. એ જ દા.દા. નંદકુમારભાઇ ના ભગવદ્સ્મરણ.

ભ્રમર ગીત ભાગ-૪ (શ્રી સુબોધીનીજી આધારે)
વક્તાશ્રી શતીષજી શર્મા (ગ્વાલિયર)

 

Click on left side to get Video CD sung by Shri Nand Kumarbhai Gandhi of:

Shri Chatrabhujdasji rachit - "Shri Govardhanwasi Savre, Tum bin Rahyo na jaye"


વિડિઓ શ્રી નંદકુમાર ગાંધી - 1
વક્તા શ્રી નંદકુમાર ગાંધી

 

Click on left side to get Video CD sung by Shri Nand Kumarbhai Gandhi of:

Shri Gusaiji rachit - "Shri Sarvottam Strotam"

વિડિઓ શ્રી નંદકુમાર ગાંધી - 2
વક્તા શ્રી નંદકુમાર ગાંધી

 

Click on left side to get Video CD sung by Shri Nand Kumarbhai Gandhi of:

Padmnabhdas rachit - "Shrimad Vallabh Anand Parmanand Ang Ang Rase, Sharad Mase Vraj wase, Din din prati Nav Hullase"

વિડિઓ શ્રી નંદકુમાર ગાંધી - 3
વક્તા શ્રી નંદકુમાર ગાંધી

 

ગૌ. ૧૦૮ શ્રી ગોપીશકુમાર મહોદય, દહીંસર, મુંબઇ, આ આચાર્ય ખુબજ નાની વયમાં અત્યંત પ્રતાપી છે. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણેનુ જીવન જીવવાના આગ્રહી છે. શ્રી ક્રુષ્ણસેવા સદાકર્યાના ઉપદેશને જીવનમાં વણી લીધા હોવાથી સેવા ન કરવી હોય તો બ્રહ્મસંબંધ આપવાની સ્પસ્ટ ના કોઇપણ શેહશરમ રાખ્યા વગર કહી દેતા હોય છે. પુસ્ટિજીવોને ઊંચુ માર્ગદર્શન આપી પ્રભુમાં સ્નેહ વ્યસનાઆસક્તિ વધે તેવા પ્રયત્ન રુપે નાના બાળકથી મોટા વડીલોને પણ તેમનુ સિંચન-માર્ગદર્શન જીવોને પુસ્ટિમાર્ગીય કરવા સતત પ્રયત્નશીલ રહે છે. હાલમાં બસોબાવન ભગવદીયો ઉપર તેમના જીવનચરિત્રને સિદ્ધાંત સાથે સાંક્ળી લેતી પાંચ વિડીઓસીડી બનાવી પુરા વિશ્વને આનો લાભ આપી રહ્યા છે. જે અંગે તેમને એવોર્ડ પણ ઘણા જ મળી રહ્યા છે.

You can see the 6 minute Trailer by Clicking on the Left CD Image

To Get Full Version of the Video CD, please contact 

Shri Hashmukhbhai at Dahisar Haveli, Mumbai

Calling from Outside India -  [00 91] 9324974948

Calling from India - 09324974948

  

એ જ દા. દા. નંદકુમારભાઈના ભગવદ્સ્મરણ

શ્રી વિઠ્ઠ્લેશ્વર પ્રભુચરણ શ્રી ગુસાંઈજી મહરાજ
કર્તા - ગૌ. ૧૦૮ શ્રી ગોપીશકુમાર મહોદય, દહીંસર, મુંબઇ સમ્પર્ક - [00 91] 9324974948

 

વ્રજમાં શ્રી ગિરીરાજજીમાંથી પ્રગટ થયેલ શ્રીનાથજીને શ્રી મહાપ્રભુજીએ પાટ પધરાવી સેવાનો પ્રકાર નક્કી કર્યો હતો. તેમની સન્મુખમાં શ્રી મહાપ્રભુજીના ચાર સેવક અને શ્રી ગુંસાઈજીના ચાર સેવકની અષ્ટ સખા તરીકે નિમણુંક થઈ તે સખાઓના કિર્તનો જીવન ચરિત્ર અને કિર્તનોના સરલ ભાવ વ્રજભાષામાં સતીષ શર્મા (ગ્વાલીયરવાળા)ની વાણી ખૂબ જ કર્ણ પ્રિય અને હૃદય સ્પર્શી હોવાથી સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને તેમનો લાભ મળે તે માટે નવ સી.ડી. વેબ સાઇટ પર પ્રગટ કરતાં હું અત્યંત આનંદ અનુભવી રહ્યો છું. વૈષ્ણવો તેનો ખૂબ લાભ લે તેવી આશા સાથે નંદકુમારભાઈ ગાંધીના જયશ્રી કૃષ્ણ...

સુરદાસજી - તેઓ જ્ઞાતિએ સારસ્વત બ્રાહ્મણ હતા, જન્મ સિહીમાં વૈશાખ સુદ 5 સને 1935માં થયો હતો. નિકુંજલીલાના સખા તરીકે કૃષ્ણ સખા અને સખી તરીકે ચંપક લતા સખી હતા. બ્રહ્મસંબંધ શ્રી મહાપ્રભુજીએ શ્રીધર પર સંવત 1567માં આપ્યું હતુ તેમજ તેમની સ્વરૂપાશક્તિ શ્રીમથુરેશજીમાં હતી. પ્રભુના શ્રીસંગમાં તેમનું સ્થાન મુખારવિંદ હતું. ચંદ્રસરોવર-પરાલોલી તેમનું અધિકૃત દ્વાર હતું.

તેઓ શ્રીજીના ઉત્થાપનના કિર્તન કરતા. લીલામાં તેમની નીલમકુંજ અને સંબંધિત ઋતુ ગ્રીષ્મ હતી. 67મા વર્ષે અષ્ટ સખા તરીકે નિયુક્તિ થયા પછી સવાલાખ પદો રચ્યા. જન્મથી અંધ હોવા છતાં પ્રભુના પ્રમેય બલથી લીલાના દર્શન થતાં અનુરૂપ ગાન કરતા. લીલા પ્રાપ્ત થયા બાદ તેઓ ચંદ્રસરોવર પર 105 વર્ષે સં. 1640માં દેહ છોડ્યા પછી સ્મૃતિસ્થાન ચન્દ્રસરોવર પર બનાવ્યું છે.

સુરદાસજી ભાગ - 2 - A1 - અષ્ટ સખાના જીવન ચરિત્રો
શ્રી સતિષ શર્મા

 

વ્રજમાં શ્રી ગિરીરાજજીમાંથી પ્રગટ થયેલ શ્રીનાથજીને શ્રી મહાપ્રભુજીએ પાટ પધરાવી સેવાનો પ્રકાર નક્કી કર્યો હતો. તેમની સન્મુખમાં શ્રી મહાપ્રભુજીના ચાર સેવક અને શ્રી ગુંસાઈજીના ચાર સેવકની અષ્ટ સખા તરીકે નિમણુંક થઈ તે સખાઓના કિર્તનો જીવન ચરિત્ર અને કિર્તનોના સરલ ભાવ વ્રજભાષામાં સતીષ શર્મા (ગ્વાલીયરવાળા)ની વાણી ખૂબ જ કર્ણ પ્રિય અને હૃદય સ્પર્શી હોવાથી સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને તેમનો લાભ મળે તે માટે નવ સી.ડી. વેબ સાઇટ પર પ્રગટ કરતાં હું અત્યંત આનંદ અનુભવી રહ્યો છું. વૈષ્ણવો તેનો ખૂબ લાભ લે તેવી આશા સાથે નંદકુમારભાઈ ગાંધીના જયશ્રી કૃષ્ણ...

કુંભનદાસ - તેઓ ગોરવા ક્ષત્રિય સંવત 1525ના કાર્તિક વદ 11ના દિવસે જમુનાવતા ગામમાં જનમ્યા હતા. નિકુંજ લીલામાં અર્જુન સખા તરીકે અને વિશાખા સખી તરીકે પ્રગટ્યા હતા. તેમનું બ્રહ્મસંબંધ શ્રી મહાપ્રભુજીએ સં. 1556માં વૈશાખ સુદ 3ના રોજ સંકર્ષણ ધાટ જતિપુરામાં આપ્યું હતુ તેમજ તેમની સ્વરૂપ આ શક્તિ શ્રી ગોવર્ધનનાથજીમાં હતી.

રભુના શ્રીઅંગમાં તેમનું સ્થાન હૃદય હતુ અને આન્યોર જમુનાવતા તેમનું અધિકૃત દ્વાર હતું. તેઓનો રાજભોગમાં શ્રીજીના મંદિરમાં કિર્તન સમય હતો. લીલામાં તેમની કુંજ પન્નાની હતી અને સંબંધિત ઋતુ ગ્રીષ્મ ઋતુ હતી. 77મા વર્ષે અષ્ટ સખા તરીકે નિયુક્તી થઈ અને આશરે 400 પદોની રચના કરી સંવત 1640માં સંકર્ષણ કુંડ આન્યોરમાં લીલા પ્રાપ્તિ થયા બાદ સંકર્ષણ કુંડ પર સ્મૃતિ સ્થાન બનાવ્યું છે.

કુંભનદાસ ભાગ-1 - અષ્ટ સખાના જીવન ચરિત્રો
શ્રી સતિષ શર્મા

 

સુરદાસજી ભાગ - 2 - A2 - તેઓ જ્ઞાતિએ સારસ્વત બ્રાહ્મણ હતા, જન્મ સિહીમાં વૈશાખ સુદ 5 સને 1935માં થયો હતો. નિકુંજલીલાના સખા તરીકે કૃષ્ણ સખા અને સખી તરીકે ચંપક લતા સખી હતા. બ્રહ્મસંબંધ શ્રી મહાપ્રભુજીએ શ્રીધર પર સંવત 1567માં આપ્યું હતુ તેમજ તેમની સ્વરૂપાશક્તિ શ્રીમથુરેશજીમાં હતી. પ્રભુના શ્રીસંગમાં તેમનું સ્થાન મુખારવિંદ હતું. ચંદ્રસરોવર-પરાલોલી તેમનું અધિકૃત દ્વાર હતું.

તેઓ શ્રીજીના ઉત્થાપનના કિર્તન કરતા. લીલામાં તેમની નીલમકુંજ અને સંબંધિત ઋતુ ગ્રીષ્મ હતી. 67મા વર્ષે અષ્ટ સખા તરીકે નિયુક્તિ થયા પછી સવાલાખ પદો રચ્યા. જન્મથી અંધ હોવા છતાં પ્રભુના પ્રમેય બલથી લીલાના દર્શન થતાં અનુરૂપ ગાન કરતા. લીલા પ્રાપ્ત થયા બાદ તેઓ ચંદ્રસરોવર પર 105 વર્ષે સં. 1640માં દેહ છોડ્યા પછી સ્મૃતિસ્થાન ચન્દ્રસરોવર પર બનાવ્યું છે.

સુરદાસજી ભાગ - 2 - A2 - અષ્ટ સખાના જીવન ચરિત્રો
શ્રી સતિષ શર્મા

 

વ્રજમાં શ્રી ગિરીરાજજીમાંથી પ્રગટ થયેલ શ્રીનાથજીને શ્રી મહાપ્રભુજીએ પાટ પધરાવી સેવાનો પ્રકાર નક્કી કર્યો હતો. તેમની સન્મુખમાં શ્રી મહાપ્રભુજીના ચાર સેવક અને શ્રી ગુંસાઈજીના ચાર સેવકની અષ્ટ સખા તરીકે નિમણુંક થઈ તે સખાઓના કિર્તનો જીવન ચરિત્ર અને કિર્તનોના સરલ ભાવ વ્રજભાષામાં સતીષ શર્મા (ગ્વાલીયરવાળા)ની વાણી ખૂબ જ કર્ણ પ્રિય અને હૃદય સ્પર્શી હોવાથી સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને તેમનો લાભ મળે તે માટે નવ સી.ડી. વેબ સાઇટ પર પ્રગટ કરતાં હું અત્યંત આનંદ અનુભવી રહ્યો છું. વૈષ્ણવો તેનો ખૂબ લાભ લે તેવી આશા સાથે નંદકુમારભાઈ ગાંધીના જયશ્રી કૃષ્ણ...

કૃષ્ણદાસ - કણબી પાટીદાર જ્ઞાતિમાં સં. 1557માં શિલોતરા (ગુજરાત)માં તેઓ જનમ્યા હતા. નિકુંજલીલાના સખા તરીકે ઋષભ સખા અને સખા તરીકે લલીતા સખી હતા. સંવત 1567માં વિશ્રામ ઘાટ મથુરામાં શ્રી મહાપ્રભુજી દ્વારા બ્રહ્મસંબધ થયું હતું. અને તેમની સ્વરૂપ આશક્તિ શ્રીમદનમોહનજીમાં હતી. પ્રભુના શ્રીઅંગમાં તેમનું સ્થાન ચરણાવિંદમાં હતું. અને બિલછુકુંડ તેમનું અધિકૃત દ્વાર હતું.

પ્રભુની રાસલીલામાં આશક્ત હોવાથી તેઓએ શયન સમયે શ્રીજી મંદિરમાં રાસના કિર્તનો ખૂબ જ ગાયા છે. લીલામાં તેમની હીરાકુંજ અને સંબંધિત ઋતુ શરદ હતી. 48માં વર્ષે તેઓની અષ્ટ સખા તરીકે નિયુક્તિ થઈ હતી. આશરે સાતસો પદોની તેમની રચના કૃષ્ણદાસ, કૃષ્ણદાસની તરીકે થઈ હતી. સંવત 1638માં પુંછરી પાસેના એક કુંવામાં પડી જતાં 84 વર્ષની ઉંમરે તેઓની લીલા પ્રાપ્તિ થઈ હતી અને બિલછુકુંડ પૂંછરી પાસે તેમની સ્મૃતિસ્થાન બનાવાઈ હતી.

કૃષ્ણદાસ - અષ્ટ સખાના જીવન ચરિત્રો ભાગ - ૩
શ્રી સતિષ શર્મા

 

વ્રજમાં શ્રી ગિરીરાજજીમાંથી પ્રગટ થયેલ શ્રીનાથજીને શ્રી મહાપ્રભુજીએ પાટ પધરાવી સેવાનો પ્રકાર નક્કી કર્યો હતો. તેમની સન્મુખમાં શ્રી મહાપ્રભુજીના ચાર સેવક અને શ્રી ગુંસાઈજીના ચાર સેવકની અષ્ટ સખા તરીકે નિમણુંક થઈ તે સખાઓના કિર્તનો જીવન ચરિત્ર અને કિર્તનોના સરલ ભાવ વ્રજભાષામાં સતીષ શર્મા (ગ્વાલીયરવાળા)ની વાણી ખૂબ જ કર્ણ પ્રિય અને હૃદય સ્પર્શી હોવાથી સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને તેમનો લાભ મળે તે માટે નવ સી.ડી. વેબ સાઇટ પર પ્રગટ કરતાં હું અત્યંત આનંદ અનુભવી રહ્યો છું. વૈષ્ણવો તેનો ખૂબ લાભ લે તેવી આશા સાથે નંદકુમારભાઈ ગાંધીના જયશ્રી કૃષ્ણ...

પરમાનંદદાસ - તેઓ કનોજિયા બ્રાહ્મણ જ્ઞાતિમાં સં. 1550 માગસર સુદ સાતમે કનોજ ગામમાં જન્મ થયો હતો. નિકુંજ લીલામાં તોક સખા તરીકે અને સખી તરીકે ચંદ્રભાગા સખી હતા. સંવત 1577 જેઠ સુદ12ના રોજ અડેલ ગામમાં શ્રી મહાપ્રભુજી દ્વારા બ્રહ્મ સંબંધ થયું હતું. તેમની સ્વરૂપ આશક્તિ શ્રી નવનીત પ્રિયાજીમાં હતી. પ્રભુના શ્રીઅંગમાં તેમનુ સ્થાન શ્રવણેન્દ્રિય હતું અને તેઓનું સુરભિકુંડમાં અધિકૃત દ્વાર હતું.

પ્રભુની બાલ લીલામાં આશક્ત હતા. અને શ્રીજીના મંગલા સમયે તેઓ કિર્તન કરતા હતા. લીલામાં તેમની માનકુંજ અને સંબંધિત ઋતુ શિશિર ઋતુ હતી. 52 વર્ષનીઉંમરે તેમનીઅષ્ટસખા તરીકે નિયુક્તી થઈ હતી. તેમણે લગભગ બે હજાર પદોની રચના કરી પરમાનંદ સાગર તરીકે ખ્યાતિ પામ્યા. સુરભિકુંડ પર સં. 1641ના ભાદરવા વદ-9ના દિવસે 91મા વર્ષે લીલાને પ્રાપ્ત થયા બાદ તેમનું સ્મૃતિ સ્થાન શ્યામ તમાલ સુરભિકુંડ પર બનાવ્યું છે.

પરમાનંદદાસ - અષ્ટ સખાના જીવન ચરિત્રો ભાગ - ૪
શ્રી સતિષ શર્મા

 

વ્રજમાં શ્રી ગિરીરાજજીમાંથી પ્રગટ થયેલ શ્રીનાથજીને શ્રી મહાપ્રભુજીએ પાટ પધરાવી સેવાનો પ્રકાર નક્કી કર્યો હતો. તેમની સન્મુખમાં શ્રી મહાપ્રભુજીના ચાર સેવક અને શ્રી ગુંસાઈજીના ચાર સેવકની અષ્ટ સખા તરીકે નિમણુંક થઈ તે સખાઓના કિર્તનો જીવન ચરિત્ર અને કિર્તનોના સરલ ભાવ વ્રજભાષામાં સતીષ શર્મા (ગ્વાલીયરવાળા)ની વાણી ખૂબ જ કર્ણ પ્રિય અને હૃદય સ્પર્શી હોવાથી સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને તેમનો લાભ મળે તે માટે નવ સી.ડી. વેબ સાઇટ પર પ્રગટ કરતાં હું અત્યંત આનંદ અનુભવી રહ્યો છું. વૈષ્ણવો તેનો ખૂબ લાભ લે તેવી આશા સાથે નંદકુમારભાઈ ગાંધીના જયશ્રી કૃષ્ણ...

ગોવિંદ સ્વામી - તેઓ સનાઢ્ય બ્રાહ્મણ જ્ઞાતિમાં સં. 1562માં ભરતપુર જીલ્લાના આંતરી ગામમાં જનમ્યા હતા. નિકુંજ લીલામાં સુદામા સખા અને સખીમાં ભામા સખી તરીકે હતા. સંવત 1562માં રાજા ઠાકોરના મંદિર શ્રીમદ્ ગોકુલમાં શ્રી ગુંસાઈજી દ્વારા બ્રહ્મસંબંધ દીક્ષા પ્રાપ્ત કરી હતી. તેમની સ્વરૂપ આશક્તિ શ્રી દ્વારાકાધીશમાં હતી અને પ્રભુના શ્રીઅંગમાં તેઓનું સ્થાન નેત્રમાં હતું.

ગિરિરાજજીની કદમ ખંડીમાં તેમનું અધિકૃત દ્વાર હતું અને હિંડોળા ત્થા આંખમિચૌલી લીલામાં આશક્ત હતા. લીલામાં કમલકુંજ અને સંબંધિત ઋતુ વસંત હતી. તેઓ 40મા વર્ષે અષ્ટ સખા તરીકે પદને પ્રાપ્ત થયા. આશરે ચારસો પદની રચના કરી ગોવિંદ છાપ થી આજે પણ પ્રસિધ્ધ છે. સં. 1642ના ફાગણ વદ-7ના રોજ શ્રી ગિરિરાજજી પર 80 વર્ષની ઉંમરે લીલાને પ્રાપ્ત થયા. ત્યારબાદ તેમનું સ્મૃતિ સ્થાન તરીકે કદમખંડીમાં સમાધિ બનાવાયી છે.

ગોવિંદ સ્વામી - અષ્ટ સખાના જીવન ચરિત્રો ભાગ - ૫
શ્રી સતિષ શર્મા

 

વ્રજમાં શ્રી ગિરીરાજજીમાંથી પ્રગટ થયેલ શ્રીનાથજીને શ્રી મહાપ્રભુજીએ પાટ પધરાવી સેવાનો પ્રકાર નક્કી કર્યો હતો. તેમની સન્મુખમાં શ્રી મહાપ્રભુજીના ચાર સેવક અને શ્રી ગુંસાઈજીના ચાર સેવકની અષ્ટ સખા તરીકે નિમણુંક થઈ તે સખાઓના કિર્તનો જીવન ચરિત્ર અને કિર્તનોના સરલ ભાવ વ્રજભાષામાં સતીષ શર્મા (ગ્વાલીયરવાળા)ની વાણી ખૂબ જ કર્ણ પ્રિય અને હૃદય સ્પર્શી હોવાથી સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને તેમનો લાભ મળે તે માટે નવ સી.ડી. વેબ સાઇટ પર પ્રગટ કરતાં હું અત્યંત આનંદ અનુભવી રહ્યો છું. વૈષ્ણવો તેનો ખૂબ લાભ લે તેવી આશા સાથે નંદકુમારભાઈ ગાંધીના જયશ્રી કૃષ્ણ...

નંદદાસ - તેઓ સનાઢય જ્ઞાતિમાં સં. 1590માં શામપુર ગામમાં જનમ્યા હતા. નિકુંજ લીલામાં ભોજ સખા અને સખી તરીકે ચંદરેખા સખી હતા. સંવત 1607માં રાજા ઠાકુરના મંદિર ગોકુલમાં શ્રી ગુંસાઈજી દ્વારા બ્રહ્મસંબધ પ્રાપ્ત કર્યું હતું. તેમની સ્વરૂપ આશક્તિ શ્રી ગોકુલચંદ્રમાજીમાં હતી અને પ્રભુના શ્રી અંગમાં તેમનું સ્થાન ઉદરમાં હતું. માનસીગંગા તેમનું અધિકૃત દ્વાર હતું.

પ્રભુની કિશોરલીલામાં આસક્ત હતા અને શ્રીજીના મંદિરમાં શૃંગાર સમયે કિર્તન કરતા હતા. લીલામાં નિકુંજ પ્રિયતમ કુંજ અને સંબંધિત ઋતુ વસંત હતી. 12 વર્ષની નાની વયે તેમની અષ્ટસખા તરીકે નિયુક્તી થઈ હતી. આશરે 400 પદોની રચનામાં રાસપંચાધ્યાયી, ભ્રમરગીત પંચય મંજરી, શ્રી ગોવર્ધનલીલા વિગેરેની રચનાઓ નંદદાસની છાપથી થયેલી છે. સંવત 1646માં ફક્ત 52 વર્ષની ઉંમરે માનસીગંગા પર લીલાને પ્રાપ્ત થયા બાદ તેમની માનસી ગંગા પર સ્મૃતિ સ્થાન બનાવાયું છે.

નંદદાસ - અષ્ટ સખાના જીવન ચરિત્રો ભાગ - ૬
શ્રી સતિષ શર્મા

 

વ્રજમાં શ્રી ગિરીરાજજીમાંથી પ્રગટ થયેલ શ્રીનાથજીને શ્રી મહાપ્રભુજીએ પાટ પધરાવી સેવાનો પ્રકાર નક્કી કર્યો હતો. તેમની સન્મુખમાં શ્રી મહાપ્રભુજીના ચાર સેવક અને શ્રી ગુંસાઈજીના ચાર સેવકની અષ્ટ સખા તરીકે નિમણુંક થઈ તે સખાઓના કિર્તનો જીવન ચરિત્ર અને કિર્તનોના સરલ ભાવ વ્રજભાષામાં સતીષ શર્મા (ગ્વાલીયરવાળા)ની વાણી ખૂબ જ કર્ણ પ્રિય અને હૃદય સ્પર્શી હોવાથી સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને તેમનો લાભ મળે તે માટે નવ સી.ડી. વેબ સાઇટ પર પ્રગટ કરતાં હું અત્યંત આનંદ અનુભવી રહ્યો છું. વૈષ્ણવો તેનો ખૂબ લાભ લે તેવી આશા સાથે નંદકુમારભાઈ ગાંધીના જયશ્રી કૃષ્ણ...

ચત્રર્ભુજદાસ - તેઓ ગોરવા ક્ષત્રિય કુટુંબમાં કુંભનદાસના પુત્ર તરીકે સં. 1597માં જમુનાવતા ગામમાં જનમ્યા હતા. નિકુંજ લીલામાં વિશાલ સખા અને સખી તરીકે વિમલા સખી હતા. સં. 1597માં જ શ્રી ગિરિરાજજીના ઉપર શ્રીનાથજીના મંદિરમાંશ્રી ગુંસાઈજી દ્વારા બ્રહ્મસંબંધ થયું હતું. તેમની સ્વરૂપ આશક્તિ શ્રી ગોકુલ નાથજીમાં હતી.

તેઓનું રૂદ્રકુંડ અધિકૃત દ્વાર હતું અને પ્રભુની ગોવર્ધનલીલા, અન્નકૂટ લીલામાં આશક્ત હતા. સંધ્યા સમયે ભોગના કિર્તનો કરવાનો તેમનો નિશ્ચિત સમય હતો. લીલામાં તેમની પુષ્પકુંજ અને સંબંધિત ઋતુ વર્ષાઋતુ હતી. આસરે બસો પદની રચના કરી સં. 1642 ફાગણ વદ-7ના રોજ રૂદ્રકુંડસ્થળ પર માત્ર 45 વર્ષની ઉંમરે લીલા પ્રાપ્ત થયા હતા. 5 વર્ષની ઉંમરે અષ્ટ સખામાં નિયુક્તિ થનાર ચત્રભુજદાસની સ્મૃતિ સ્થાન રૂદ્રકુંડ પર દર્શન થાય છે.

ચત્રર્ભુજદાસ - અષ્ટ સખાના જીવન ચરિત્રો ભાગ - ૭
શ્રી સતિષ શર્મા

 

વ્રજમાં શ્રી ગિરીરાજજીમાંથી પ્રગટ થયેલ શ્રીનાથજીને શ્રી મહાપ્રભુજીએ પાટ પધરાવી સેવાનો પ્રકાર નક્કી કર્યો હતો. તેમની સન્મુખમાં શ્રી મહાપ્રભુજીના ચાર સેવક અને શ્રી ગુંસાઈજીના ચાર સેવકની અષ્ટ સખા તરીકે નિમણુંક થઈ તે સખાઓના કિર્તનો જીવન ચરિત્ર અને કિર્તનોના સરલ ભાવ વ્રજભાષામાં સતીષ શર્મા (ગ્વાલીયરવાળા)ની વાણી ખૂબ જ કર્ણ પ્રિય અને હૃદય સ્પર્શી હોવાથી સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને તેમનો લાભ મળે તે માટે નવ સી.ડી. વેબ સાઇટ પર પ્રગટ કરતાં હું અત્યંત આનંદ અનુભવી રહ્યો છું. વૈષ્ણવો તેનો ખૂબ લાભ લે તેવી આશા સાથે નંદકુમારભાઈ ગાંધીના જયશ્રી કૃષ્ણ...

છિત સ્વામી - મથુરામાં ચતુર્વેદી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયો ત્યારે સં. 1572 હતી. નિકુંજ લીલામાં સુબલ સખા અને સખી તરીકે પદ્મા સખી હતા.સં. 1592માં મથુરામાં શ્રીગુંસાઈજી દ્વારા દિક્ષિત થયા. તેમની આશક્તિ શ્રી વિઠ્ઠલનાથજીના સ્વરૂપમાં હતી. પ્રભુના શ્રી અંગમાં એમનું સ્થાન બાહુ કટિ હતું. તેમનું અધિકૃત દ્વાર ગિરિરાજજીનું અપ્સરાકુંડ હતું અને શ્રીજી મંદિરમાં તેઓ સંધ્યા આરતી સમયે કિર્તન કરતા. સંવત 1642માં અપ્સરા કુંડ પર તેમની લીલા પ્રાપ્તિ બાદ તેમનું સ્મૃતિસ્થાન બનાવાયું.

છિત સ્વામી - અષ્ટ સખાના જીવન ચરિત્રો ભાગ - ૮
શ્રી સતિષ શર્મા

 

Shri Mahaprabhuji Vadhai, Shri Gusaiji Vadhai, Vallabhakhyan, Ashta Sakhana Pado sung by Kumari Unnati (Jinjuwadia)

કરીએ શ્રી વલ્લભ ગુણગાન
કુ. ઉન્નતિ (જીંજુવાડીયા)

 

પુષ્ટિમાર્ગમાં સેવાની મુખ્યતા છે. તેમાં એ અષ્ટપ્રહર સેવામાં દરેક સમયના દર્શન વખતે જે તે સમય અનુરૂપ અષ્ટ સખાઓએ શ્રી ઠાકોરજીની સન્મુખ કરેલ કિર્તનોથી પ્રભુ ખૂબ પ્રસન્નતાથી સામગ્રી આરોગતા હતા તે પછી હાલમાં હવેલી મંદીરોમાં ગવાય જ છે. પણ વૈષ્ણવોને ગૃહ સેવામાં કિર્તનો ગાતા નથી આવડતું કે રાગ આવડતો નથી કરી વગર કિર્તને પ્રભુને ભોગ ધરાય છે. આ તકલીફ નિવારણ માટે પ્રભુ સન્મુખ ગવાતાં મંગલાથી શયન પંર્યતના કિર્તનો અષ્ટસખાઓએ ગાયેલા રાગથી આશરે 33 કિર્તનો શ્રી મિશ્રી પ્રસાદ કિર્તનીયાજીના કંઠે (નાથદ્વારા વાળા) તૈયાર આ સીડીમાં આપેલ હોવાથી ત્રણ કલાક સુધી સતત એક પછી એકસાંભળતાં રાગ પણ આવડી જાય અને સાથે સાથે ગાવાથી મોઢે પણ થઈ જાય તે હેતુથી વૈષ્ણવ સૃષ્ટિ માટે આ સીડી પ્રગટ કરતા અત્યંત આનંદ અનુભવી રહ્યો છું. એજ નંદકુમારભાઈ ગાંધીના જયશ્રીકૃષ્ણ

કરીએ શ્રી અષ્ટ સખા ગુણગાન
મિશ્રીપ્રદાસજી (કિર્તનકાર)

 

સવારે મધુર સંગીત સાથે ગવાતા કિર્તનો ખુબ જ આલ્હાદ આપતા હોવાથી સાસરે સાડા ત્રણ કલાક સુધી ચાલે તેટલા પ્રચલિત ગીતો કુમારી ઉન્નતિ જીજુવાડીયા (ગોલ્ડ મેડાલીસ્ટ)ના સ્વરે ગવાયેલ છે. ખૂબજ વૈષ્ણવસૃષ્ટિ તેનો લાભ લે તેવી આશા સાથે.

નંદકુમાર ભાઈના ભગવદ્ સ્મરણ

કરીએ શ્રી પ્રાતઃ સ્મરણ ગુણગાન
કુ. ઉન્નતિ (જીંજુવાડીયા)

 

પુષ્ટિમાર્ગમાં સેવા સમયે સેવા અને અનવસરમાં શ્રી વલ્લભના તાપાત્મક ગુણગાન કરવાનું ઉચું પ્રયોજન છે. તેથી આ સી.ડી.માં નિત્ય કરી શકાય તેવા પાઠ ચરણકમલની સ્તુતિ, સૌંદર્યપદ, મંગલાચરણ, શ્રી યમુનાષ્ટક, શ્રી સર્વોત્તમ સ્તોત્ર શ્રી વલ્લભાષ્ટક, શ્રી સપ્ત શ્લોકી તથા શ્રી હરિરાયજીનું રચેલ શ્રીમદ્ આચાર્ય ચિન્તન પ્રકાર નામનો ગ્રંથ પણ આપી પુરેપુરુ ગુણગાન એક (સી.ડી.)માં Audio/Video કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. વૈષ્ણવસૃષ્ટિને આનો ખૂબ જ લાભ મળી શકે તેથી નિત્ય કરાય તે રીતે D.V.D. પ્રગટ કરતાં હર્ષની લાગણી અનુભવું છું.

એ જ નંદકુમાર ભાઈના ભગવદ્ સ્મરણ

કરીએ શ્રી વલ્લભ તાપાત્મક ગુણગાન
શ્રી નંદકુમાર ગાંધી

 

 Click on the below link to listen to the USA Satsang of Nandkumarbhai of April 2010

http://satsang.radhikashah.com/?page_id=134

USA Satsang CD
Nandkumarbhai Gandhi

 

This CD is of Shri Nam Ratnakhya Strotra which contains 108 names of Shri Gusaiji
 
Darshan and Swaroop of 108 names of Shri Gusaiji are seen and sung by Shri Raghunathlalji. Repeated enchanting of this names increases Pushti bhav in Vaishnav and therefore we request Vaishnavs to take the benefit of it, just like Shri Sarvottam Strotra.
 
Shri Nandkumarbhai Gandhi 
 

 

કરીએ શ્રી નામ રત્નાખ્યસ્તોત્ર રસપાન
શ્રી નંદકુમારભાઇ ગાંધી

 

શ્રીમદ્ વલ્લભ પ્રભુની કારીકાઓની માહિતી

વાક એવ બ્રહ્મઃ। વાક્ શંબધેન શરીર સંબંધઃ સૈવા વાક્ ઉત્તત્મા - પ્રથમ-સ્કંધ-15-અધ્યાય શબ્દ બ્રહ્મણેન પર બ્રહ્મઃ પ્રકાશકે। એટલે વાણી એ જ આત્માનું સ્વરૂપ છે. શબ્દ બ્રહ્મ સિવાય પરબ્રહ્મ પકાશતા નછી. એટલે શબ્દ બ્રહ્મ રૂપી વૈશ્વાનર વાક્પતિ વલ્લભની વાણી જ ભગવદ પ્રાપ્તિ કરાવે છે. વલ્લભ વાણી જ ફલરૂપ છે. એટલે સુબોધિનીજીમાં પ્રથમ સ્કંધથી એકાદશ સ્કંધની બધી જ કારીકાઓ એ વલ્લભ વાણી છે અને નામાત્મક સ્વરૂપ છે. તેનાથી જ ભગવદ પ્રાપ્તિ છે. માટે દરેક જીવાત્માએ એ જ વાણીનું પાન કરવાનું છે. વિચાર ચિંતન સિવાય ભગવદ વાણીના ઉચ્ચારણ માત્રથી ભગવાન તુર્ત જ હૃદયમાં આરૂઢ થાય છે. એ પ્રથમ સ્કંધમાં પ્રથમ અધ્યાયના બીજા શ્લોકથી પતિપાદિત કરેલ છે. જેથી જીવાત્માએ ભગવદ પ્રાપ્તિ કરવાની ઈચ્છા હોય તેને આજ વાક્પતિની વાણી વડે જ ભગવદ પ્રાપ્તિ કરવાની છે.

સુબોધજીની કારીકાઓ
સુબોધજી

 

શ્રી ષોડશગ્રન્થ ભક્તિ સપ્તાહ ભાગ ૧ થી ૨૫

પ્રથમ તથા બીજી સીડીમાં યમુનાષ્ટક ગ્રંથની શ્રી મહાપ્રભુજીએ યમુનાજીની સાનિધ્યમાં સરળ ભાષામાં રચના કરી. જ્યારે ગોકુલમાં યમુનાજીના બે ઘાટ વિષય પર શ્રી મહાપ્રભુજીને સ્પષ્ટતાની આવશ્યકતા થઈ કે કયો ગોવિંદઘાટ અને કયો ઠકુરાણી ઘાટ ? ત્યારે શ્રી યમુનાજી વિના વિલંબે પ્રગટ થઈ ઘાટની માહિતી પ્રભુને વિલંબ ન થાય તેટલી ઝડપી આપતાં શ્રી વલ્લભે પ્રસન્ન વદને શ્રી યમુનાજીને વંદન કરી “નમામિ યમુના મહં” થી શરૂ કરી તેમના પૂર્ણ સ્વરૂપ તથા કૃપાળુ સ્વભાવનું વર્ણન કર્યું. ત્રણે સ્વરૂપનો ઉલ્લેખ કરી જીવને કરેલ સિદ્ધિનું વર્ણન અને કરેલા દાન પર પ્રકાશ પાડ્યો છે.

એ જ નંદકુમાર જે ગાંધી

ત્રીજી તથા ચોથી સીડીમાં બાલબોધ ગ્રંથની રચના કરી ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ ચાર પૂરૂષાર્થ ફલરૂપ છે તે સવિસ્તાર સમજાવેલ છે. અંબાલાલ નારાયણદાસ કાયસ્થને નિમિત્ત બનાવી સમગ્ર પુષ્ટિ સૃષ્ટિને બોધ આપવાના હેતુથી તેમજ જેમનુ મન અનેક દેવ દેવીઓ અને ભૂતપ્રેત તથા દોરા ધાગામાં લાગેલું હોય તેની પ્રવૃત્તિ નિયમિત પ્રભુમય કરવા માટે આ ગ્રંથમાં ઉપદેશ કરવામાં આવેલો છે.

શ્રી ષોડશગ્રન્થ ભક્તિ સપ્તાહ ભાગ ૧ થી ૨૫
શ્રી જગતગુરુ વલ્લભાધીશ રચિત

 

શ્શ્રી જગતગુરુ વલ્લભાધીશ રચિત

શ્રી ષોડશગ્રન્થ ભક્તિ સપ્તાહ ભાગ ૨૬ થી ૫૦

પાંચ અને છ નંબરની સીડીમાં શ્રી વલ્લભાધિશે પોતાનો સિદ્ધાંત અચ્યુતદાસ સનોઢીયાને જતીપુરામાં રચના કરી આપેલ છે અને વાસ્તવીક સેવાનું સ્વરૂપ શું છે ? તે બતાવી અંહતા મમતાનો ત્યાગ કરી તન મન ધનથી પ્રભુની સેવા કરવી તે જીવનું પરમ કર્તવ્ય છે. માનસી સેવાના સાધનરૂપ તનુ-વિત્તમા સેવા છે. મન પરોવી સેવા કરવાથી સંસારના દુઃખોની નિવૃત્તિ એમ બે અવાંતર ફલ પ્રાપ્ત થાય છે. અને મુખ્ય તો મન સેવા પરાયણ રહે તેજ છે.

સાત, આઠ, નવ નંબરની સીડીમાં પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા ધર્મના ભેદો બતાવી જીવોનું સ્વરૂપ શું છે તે બતાવેલ છે, પુષ્ટિ જીવો પ્રભુના શ્રીસંગમાંથી ઉદભવ થયો છે. મર્યાદા જીવો ભગવદ્ વાણીમાંથી ઉત્પન્ન થયા છે તે સકામ અને નિષ્કામ પ્રકારના છે. અને પ્રવાહી જીવો આસુરી હોવાથી લૌકિક પ્રવાહમાં જ આસક્ત રહે છે. આ જગતના પ્રારંભથી અંત સુધી મહા પ્રલયકાળ સુધી લૌકિક સુખ દુઃખમાં જ આસક્ત રહી તેમાં જ ભટક્યા કરે છે. તેમનો સ્વભાવ ચર્ષણી જેવો રહેવાથી તેઓનું ચિત્ત ક્યાંય ચોટતું નથી ડામાડોળ તેમજ શંકાશીલ રહે છે તેથી તેઓને ફક્ત બહારની ક્રિયા પ્રમાણે લૌકિક ફળ જ મળે છે.

શ્રી ષોડશગ્રન્થ ભક્તિ સપ્તાહ ભાગ ૨૬ થી ૫૦
શ્રી જગતગુરુ વલ્લભાધીશ રચિત

 

શ્રી જગતગુરુ વલ્લભાધીશ રચિત

શ્રી ષોડશગ્રન્થ ભક્તિ સપ્તાહ ભાગ ૫૧ થી ૭૫

દશ અને અગીયારમી સીડીમાં સિદ્ધાંત રહસ્ય ગ્રંથ સમજાવી માર્ગના બ્રહ્મસંબધનું રહસ્ય, અસમર્પિત વસ્તુનો ત્યાગ, નિવેદન સમર્પણ વિગેરે ઉપર ખૂબ જ પ્રકાશ પાડ્યો છે.

બાર નંબરની સીડીમાં “નવરત્ન” ગ્રંથ સમજાવી પ્રભુની પ્રાપ્તિ માટે જીવની થતી ચિંતાઓનું નિવારણ કરવાનો ઉપાય બતાવ્યો છે. આ ગ્રંથ ખેરાળુના વતની ગોવિંદ દુબેને મિષે રચેલ છે. તેમાં ઉપદેશ છે કે રાઈનો દાણો ગાયના સિંગ પર ટકે તેટલો સમય પણ ભગવદ્ નામ વગર જીવે પસાર કરવો નહીં.

તેર નંબરની સીડીમાં શ્રી વલ્લભાધીશે અંતઃકરણને ઉદ્દેશીને આજ્ઞા કરે છે કે દોષ વગરનું દૈવશ્રી કૃષ્ણ જ હોવાથી અંતઃકરણમાં રહેલા અવશેષ દોષો પૂર્ણ રીતે કાઢી નાખવાને શ્રી કૃષ્ણથી અન્ય કોઈ દેવ નથી. જીવ પોતાની શક્તિ પ્રમાણે દોષ કાઢવા પ્રયત્ન કરી શકે છે. પણ તે વડે પૂરેપૂરા દોષ નીકળી શકતા નથી. જેથી અવશેષ રહેલા દોષોનો ભક્તના ઉપર કરૂણા કરી પોતેજ નાશ કરે છે. સ્વભાવ પર પૂર્ણ વિજય ન થવાથી સ્વભાવ દોષને લીધે કેટલાક ભક્તોને પોતાની સ્થિતિ બાબતમાં ચિંતા રહેતી હોય, તેમની ચિંતા દૂર થવા માટે અંતઃકરણ પ્રબોધમાં શ્રી મહાપ્રભુજીએ આજ્ઞાઓ કરી છે.

ચૌદ નંબરની સીડીમાં શ્રી વલ્લભાધીશે શ્રી હરિનું જ શરણ લેવું તેનો જ આશ્રય કરવો અને આ બધા માટે ખૂબજ ધીરજ રાખવી તેથી વિવેક, આશ્રય અને ધૈર્યનું હંમેશા રક્ષણ કરવા યોગ્ય છે. હરિ સર્વકાર્ય પોતાની ઇચ્છાથી જ કરશે. સર્વ પ્રભુનું જ છે અને પ્રભુ સર્વ સામર્થ્યવાન છે. માટે જીવે અભિમાનનો ત્યાગ કરી અવિશ્વાસ કર્યા વિના લૌકિક વૈદિક કાર્યો મમતા રાખ્યા સિવાય સહેજસાજ કરવા તોજ પ્રભુ પ્રાપ્તિ દુર નહી રહે.

શ્રી ષોડશગ્રન્થ ભક્તિ સપ્તાહ ભાગ ૫૧ થી ૭૫
શ્રી જગતગુરુ વલ્લભાધીશ રચિત

 

શ્રી જગતગુરુ વલ્લભાધીશ રચિત

શ્રી ષોડશગ્રન્થ ભક્તિ સપ્તાહ ભાગ ૭૬ થી ૧૦૦

પંદર નંબરની સીડીમાં શ્રી વલ્લભે બુલામિશ્રા ને નિમિત્ત બનાવી પુષ્ટિ સૃષ્ટિને આશ્રયનું ચરમ સીમાનું સ્વરૂપ સમજાવ્યું છે. શ્રી કૃષ્ણની સાનિધ્યમાં કૃપા આશ્રય સિદ્ધ થવા માટે આ પાઠ કરવાનો મુખ્ય હેતુ છે અને શ્રી વલ્લભાધીશે સ્વયં ગેરંટી આપી છે કે આ પાઠ શ્રી ઠાકોરજીની સન્મુખ જે કોઈ દૈવી જીવ કરશે તેને પ્રભુનો આશ્રય સિદ્ધ થશે જ તેવું મારૂ શ્રી વલ્લભાધીશનું વચન છે.

“ચતુશ્લોકી”

આ ગ્રંથ રાણા વ્યાસને બોધ આપવા માટે રચેલ છે. તેમાં જીવના ધર્મ અર્થ કામ અ મોક્ષ બતાવેલ છે. આ ચાર પુરૂષાર્થો અલૌકિક છે. સારસ્વત કલ્પમાં જે કૃષ્ણ પ્રગટ થયા તેમાં પણ ચાર વ્યૂહ સહિત રસાત્મક પુરૂષોત્તમનું પ્રાગટ્ય થયેલ છે. તેમાં રસાત્મક શ્રી કૃષ્ણનું રાસલીલાનું જે શૃંગારાત્મક સ્વરૂપ તેમનું જ ભજન એ અલૌકિક ધર્મ, તેજ સ્વરૂપ જે હૃદયમાં ધારણ કર્યા પછી તેમના ચરણનું સેવન કરવું તે જ અલૌકિક ફલાત્મક મોક્ષ કહેલ છે.

સત્તરમી સીડીમાં શ્રી વલ્લભાધીશે પરસોત્તમ જોષી સાંચોરા બ્રાહ્મણને માટે ઉપરનો ગ્રંથ કરી આપેલ છે. ભક્તિના ત્રણ પ્રકારો બતાવીને શ્રવણ કિર્તન અને સ્મરણ (ભજન) વડે ભક્તિને દૃઢ કરવાની છે. જેનાથી પ્રેમ, આસક્તિ અને વ્યસન ભાવની ચરમ સીમાની દશા પ્રાપ્ત કરી શકાય છે. પ્રભુનો સ્નેહ વધારવા ત્રણ બાબતો બાધક બતાવી છે. જેમાં પ્રભુ સિવાય બીજી વસ્તુમાં સ્નેહ, ઘરમાં આસક્તિ અને પ્રભુની સેવા વિના કાળ નિર્વાહ.

શ્રી ષોડશગ્રન્થ ભક્તિ સપ્તાહ ભાગ ૭૬ થી ૧૦૦
શ્રી જગતગુરુ વલ્લભાધીશ રચિત

 

શ્રી જગતગુરુ વલ્લભાધીશ રચિત

શ્રી ષોડશગ્રન્થ ભક્તિ સપ્તાહ ભાગ ૧૦૧ થી ૧૨૫

સીડી નં.ઓગણીસમાં મહાપ્રભુજીએ જલભેદ ગ્રંથમાં બતાવેલ શ્રોતા વક્તાના વીસ સ્વરૂપોને પાણી સાથે સરખાવી દરેકનું સ્વરૂપ બતાવ્યું છે. આ ગ્રંથનું મનન કર્યા પછી જીવ તે નક્કી કરી શકે છે કે કયા વક્તાનું શ્રવણ કરવું ને કયાનું ન કરવું.

સીડી એકવીસ બાવીસમાં પંચ પદ્યાનિ ગ્રંથમાં શ્રી વલ્લભે શ્રોતાના ત્રણ સ્વરૂપોનું વર્ણન કર્યું છે. ઉત્તમ, મધ્યમ અને અધમ કક્ષાના શ્રોતાનું વર્ણન છે.

આ ગ્રંથ નરહરિદાસ માટે રચાયેલ છે. કલિયુગમાં સંસારમાં સંન્યાસને મીથ્યા કહેલ છે. તેમજ ખરૂં સંન્યાસનું સ્વરૂપ બતાવેલ છે. ભક્તિમાર્ગમાં સાક્ષાત્ પ્રભુ સાથે સંબંધ થયો એજ ફળ છે.

શ્રી ષોડશગ્રન્થ ભક્તિ સપ્તાહ ભાગ ૧૦૧ થી ૧૨૫
શ્રી જગતગુરુ વલ્લભાધીશ રચિત

 

શ્રી જગતગુરુ વલ્લભાધીશ રચિત

શ્રી ષોડશગ્રન્થ ભક્તિ સપ્તાહ ભાગ ૧૨૬ થી ૧૫૦

આ ગ્રંથ નરહરિદાસ માટે રચાયેલ છે. કલિયુગમાં સંસારમાં સંન્યાસને મીથ્યા કહેલ છે. તેમજ ખરૂં સંન્યાસનું સ્વરૂપ બતાવેલ છે. ભક્તિમાર્ગમાં સાક્ષાત્ પ્રભુ સાથે સંબંધ થયો એજ ફળ છે.

સીડી નં. પચીસ તથા છવીસમાં નિરોધ લક્ષણ ગ્રંથ શ્રી વલ્લભાધીશે રાજા હુબે અને માધ્યમ દુબે માટે રચેલ છે. નિરોધ એટલે કૃપા, પ્રથમકક્ષા, દ્વિતીય કક્ષા અને ત્રીજી કક્ષા બતાવી છે.

નિરોધ સિવાય કોઈ મંત્ર તિર્થ, વિદ્યા કે બીજો સ્ત્રોત નથી દેહ છૂટે ત્યાં સુધી ભગવદ્ ગુણગાન કરવું એજ કૃપાનંદનું ફલ છે.

શ્રી ષોડશગ્રન્થ ભક્તિ સપ્તાહ ભાગ ૧૨૬ થી ૧૫૦
શ્રી જગતગુરુ વલ્લભાધીશ રચિત

 

શ્રી જગતગુરુ વલ્લભાધીશ રચિત

શ્રી ષોડશગ્રન્થ ભક્તિ સપ્તાહ ભાગ ૧૫૧ થી ૧૬૭

સીડી નં. પચીસ તથા છવીસમાં નિરોધ લક્ષણ ગ્રંથ શ્રી વલ્લભાધીશે રાજા દુબે અને માધો દુબે માટે રચેલ છે. નિરોધ એટલે કૃપા, પ્રથમકક્ષા, દ્વિતીય કક્ષા અને ત્રીજી કક્ષા બતાવી છે.

નિરોધ સિવાય કોઈ મંત્ર તિર્થ, વિદ્યા કે બીજો સ્ત્રોત નથી દેહ છૂટે ત્યાં સુધી ભગવદ્ ગુણગાન કરવું એજ કૃપાનંદનું ફલ છે.

સત્તાવીસ નંબરના સીડીમાં “સેવાફલ” વિષે શ્રી વલ્લભાધીશે કહ્યું છે કે સેવાનું સ્વરૂપ ફલ અને વિધ્નોનું નિવારણ છે. પુષ્ટિ જીવને અલૌકિક સામર્થ્ય, આયુ જય અને સેવા ઉપયોગી દેહ પ્રાપ્ત થાય છે.

શ્રી ષોડશગ્રન્થ ભક્તિ સપ્તાહ ભાગ ૧૫૧ થી ૧૬૭
શ્રી જગતગુરુ વલ્લભાધીશ રચિત

 

કરીયે શ્રી સર્વોત્તમ સતત ગુણગાન

કરીયે શ્રી સર્વોત્તમ સતત ગુણગાન
શ્રી નંદકુમારભાઇ ગાંધી

 

Chargeet saptah yagna venugeet

GopiGeet

Venugeet

Yugalgeet

Bhramargeet

Char geet gyan saptah yagna bhramar geet
શ્રી નંદકુમારભાઇ ગાંધી

 

Chargeet saptah yagna venugeet

GopiGeet

Venugeet

Yugalgeet

Bhramargeet

Chargeet saptah yagna venugeet
શ્રી નંદકુમારભાઇ ગાંધી

 
84 Bethakji 1 to 23 Part
શ્રી નંદકુમારભાઇ ગાંધી

 
Video on Pusti Marg, Sarvottam, Vallabhastak, Saptsloki is given on this page for the benefit of Vaishnav
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.