સમગ્ર ભૂતલસ્થ વિદ્યમાન પુષ્ટિમાર્ગીય ગોસ્વામી આચાર્ય વલ્લભ વંશજ બાલકો ત્થા શ્રી વલ્લભ અનુગ્રહી વિદ્યમાન ભગવદીય વલ્લવી સૃષ્ટિ શ્રી વલ્લભ સિધ્ધાંત સમિતી છેલ્લા વીસેક વર્ષની પુષ્ટિકાર્યોની રચના અર્થે પ.પુ.ગો.શ્રી 108 નિ.લી. તિલકાયત મહારાજશ્રી ગોવિન્દરાયજી નાથ ધ્વારા – મુંબઇવાળા ત્થા ષષ્ઠપિઠાધિશ્વર (સુરતવાળા) શ્રી ગો.શ્રી 108 નિ.લી. શ્રી વ્રજરત્નલાલજી મહારાજશ્રીની આજ્ઞાથી થયેલી. પુષ્ટિ સિધ્ધાંતોથી કંઇ પણ વિપરીત થતું હોય કે વૈષ્ણવ ધર્મની વિરૂધ્ધમાં કંઇ પણ લખાણ, ક્રિયા કે કાર્ય થતું હોય તો તેને જડબેસલાક રોકવા માટેના સર્વે પાવર સાથેની આ એક માત્ર સમિતી પોતાની પૂર્ણ ક્ષમતાથી કાર્યરત રહી છે. જે સર્વે વૈષ્ણવ સૃષ્ટિને વિદિત હશે જ.
આ સિવાય આ સમિતી શ્રી મહાપ્રભુજીની, શ્રી ગુંસાઇજીની ત્થા શ્રી હરિરાય મહાપ્રભુજીની જીર્ણ થયેલી બેઠકના જીર્ણોધ્ધાર માટે પણ સતત પ્રયત્નશીલ રહેવાનો પ્રયત્ન કરી રહી છે.
છેલ્લા ત્રણેક વર્ષોથી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સૃષ્ટિને અતિ ઉપયોગી, પાયાની જરૂરીયાતવાળા સાહિત્ય ત્થા ઓડીયો સી.ડીનું પણ પ્રગટ કરવાનું કાર્ય અમારા પચ્ચીસ વર્ષની સત્સંગ પોષણકર્તા શ્રી વલ્લભપાદ્પદ્મ મિલીન્દ (શ્રી પ્રાણજીવનભાઈ પટેલ ભાવનગરના વતની) ના માર્ગદર્શન પ્રમાણે કરી રહ્યા છીએ. તેમજ દેશ વિદેશમાં પ્રત્યક્ષ જઇ પ્રચાર કરી રહ્યા છીએ. આ દરમિયાન અનુભવ્યું કે શ્રી વલ્લભના સિધ્ધાંતો, ગ્રંથો તેમજ આ વિષયમાં પ્રભુ પ્રાપ્તિના માર્ગને જાણવાનું સાહિત્યની ખૂબ જ માંગ વધતી રહી છે. જે વ્યક્તિગત રીતે પૂર્ણ કરવા માટે ખૂબ જ સાહિત્ય છપાવવા પડે અને મોકલવાનો ખર્ચ પણ તેનો બહોળા લાભ અત્યંત આતુર વૈષ્ણવસૃષ્ટિને ત્થા જરૂરી સત્સંગ મંડળો મળે તે હેતુથી અમારી www.shrivallabhanugrah.com ચાલુ કરતા અમો અત્યંત આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ. આ સાઇટ ના નામ પ્રમાણે અવલોકન કરનાર ભગવદિયને શ્રી વલ્લભની પૂર્ણ કૃપા થાય અને સાચો ભગવદ્ પ્રાપ્તિનો રસ્તો સત્વરે પ્રાપ્ત થાય જેથી શ્રી વલ્લભના શ્રમની નિવૃત્તી ની જે કંઈ ટહેલ અમારાથી બને તે થઇ શકે.
હાલના ઝડપી યુગમાં સત્સંગ કરવાનું સૌભાગ્ય સમયના અભાવમાં નિયમીત મળતું નથી. પરીણામે જીવ ઈચ્છા કરે તો પણ પુષ્ટિમાર્ગ વિષે જરૂરી પાયાનું જ્ઞાન જે શ્રી વલ્લભના માહાત્મ્યજ્ઞાનને દ્રઢ કરનારૂં હોય તે મળતાં વિલંબ થતા સુદ્રઢ સ્નેહ ભક્તિ કરવામાં પાછો પડે છે તેથી અમોએ આ વેબસાઇટમાં ઉપરની વસ્તુને અતિ મહત્વ આપી વર્ષો પૂર્વેના ભગવદિયોના હૃદયમાં કૃપા કરી શ્રી વલ્લભે બિરાજીને અમૃત ધારાની જેમ ભગવદ્ રસ છલકાવી પોતાના લેખોમાં સાંપ્રદાયિક માસિકોમાં છપાયેલ હતા તેનું મોટુ કલેકશન કરેલ તે વેબસાઇટ માં ઉપલબ્ધ કરી તાપાત્મક, સ્વરૂપાત્મક, વિરહાત્મક અને ફલાત્મક રસ જીવને પ્રભુના નિકુંજધ્વાર સુધી પહોંચવામાં ખૂબ જ ઉપયોગી થશે. અન્ય ભગવદિયો પાસે આવું પ્રગટ કરવાનું સાહિત્ય હોય તો ઈચ્છાથી મોકલી શકશે જે વેબસાઇટમાં પ્રગટ કરવાનો પૂરો પ્રયત્ન કરીશું.
આ કાર્ય શ્રી મહાપ્રભુજીના પ્રમેય બલથી એક સાથે પુરા વિશ્વમાં વસતા વલ્લભીયોને પ્રાપ્ત કરવાનું બની રહ્યું છે તેમાં મુખ્યતા પ.ભ.શ્રીવલ્લભ પાદપદ્મ મિલિન્દ ભાવનગર વાળાની છે. તેમની ભૂતલ સ્થિતી દરમિયાન ખૂબજ ભગવદિયો એ લાભ લીધો છે. અને હવે પ.ભ.દયારામભાઈની જેમ ભગવદ્ પ્રાપ્તિનો અનુભવી રસ્તો બતાવવા માટેની ઈચ્છા પૂર્ણ કરનારી આ વેબસાઈટ સૌ વૈષ્ણવો ઉપયોગ કરશે અને શ્રીમહાપ્રભુજીના શ્રમની નિવૃત્તી સત્વરે થાય તેવી અભિલાષા સહ..... દાસાનુદાસ નંદકુમારના સસ્નેહ સ્મરણ
Nandkumarbhai Gandhi has done Bhagwad Leela Pravesh on 11-01-2014
|